ગૌચરની જમીનના વ્યવસ્થાપન કરવા અંગેની નીતિ.
મહેસૂલ વિભાગ
ગુજરાત સરકાર
ઠરાવ ક્રમાંક : જમન / ૩૯૧૧/૩૧૯૪/ ગ
સચિવાલય, ગાંધીનગર. તા. ૦૧/૦૪/૨૦૧૫
વંચાણેલીધો:-
(૧) મહેસૂલ વિભાગનો તા:-૩૦/૧૨/૧૯૮૮ નો પરિપત્ર ક્રમાંક: જમન/૧૬૮૭/૩૭૦૯૮/ગ
આમુખ :-
લેન્ડરેવન્યુ કોડની કલમ૩૮ હેઠળ ગામે ગૌચર જમીન નીમ કરવાની સત્તા અને કલમ-૩૯ હેઠળ ગૌચર જમીનના ઉપયોગ નું નિયમન કરવાની સત્તા જિલ્લા કલેક્ટરશ્રીઓને આપવામાં આવી છે. ગામે ઢોરોની સંખ્યા, આજુબાજુ જંગલ વિસ્તારની ઉપલબ્ધિ, જમીનની ફળદ્રુપતા વગેરે ધ્યાને લઈ સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા તેઓને કેટલી ગૌચર જમીનની જરૂરિયાત છે, તેની માંગણી કલેકટરશ્રી સમક્ષ રજૂ કરવાની રહે છે. અને તે માંગણીની યથાર્થતા ચકાસી કલેક્ટરશ્રીઓ તેઓને મળેલ કાયદાકીય સત્તા અન્વયે જરૂરિયાત મુજબની જમીન ગૌચર જમીન તરીકે નીમ કરે છે, અને તેના વહીવટ માટે સંબંધિત ગ્રામ પંચાયતના હવાલે મૂકે છે. ગૌચર જમીન નીમ થયા બાદ ગૌચર જાળવણી અને નિભાવવાની સઘળી જવાબદારી મુખ્યત્વે પંચાયતની રહે છે.
તાજેતરમાં નામ. સુપ્રિમ કોર્ટ દ્વારાસી. એ. નં. ૧૧૩૨/૨૦૧૧@એસએલપી (સી) ૩૧/૦૯/૨૦૧૧ જસપાલસિંઘ અને અન્ય વિરૂદ્ધ સ્ટેટ ઓફ પંજાબ એન્ડ અધર્સમાં નામ. સુપ્રિમ કોર્ટે સમાજના કલ્યાણ માટે તેમના હક્ક તરીકે અપાતી જમીનો ઉપરના દબાણોને દૂર કરવા તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને આદેશાત્મક સૂચનાઓ આપેલ છે. જેમાં આવી લોકોપયોગી જાહેર જમીનો ઉપરના દબાણો દૂર કરવા તેમજ તેનો યોગ્ય અમલ કરવા નિર્દેશો અપાયા છે. અલબત્ત આવા કિસ્સાઓમાં જયાં ભૂમિવિહિનોને લીઝ ઉપર જમીન અપાયેલ હોય અથવા તો અનુ. જાતિ, અનુ.જનજાતિના લોકોને જમીન રહેણાંક માટે અપાઈ હોય કે, જયાં સ્કૂલ, ડિસ્પેન્સરી કે બીજી જાહેર ઉપયોગીતા માટે વપરાઈ હોય તેવા દબાણો વિનિયમત કરવા સિવાયના અન્ય તમામ દબાણો દૂર કરવા સૂચના અપાઈ છે. ઉપરાંત તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટના રીટપીટીશન (પીઆઈએલ નં. ૧૫૫/૨૦૧૧) માં ચૌધરી લક્ષ્મણભાઈ પરથીભાઈ અને અન્યો વિરૂદ્ધ ગુજરાત સરકારના કેસમાં નામ. હાઈકોર્ટે તા. ૦૮/૦૮/૨૦૧૨ના રોજ આપેલ ગૌચર જમીન સંદર્ભમાં નીચે મુજબ હુકમ કરેલ છે.
"આને ધ્યાનમાં રાખીને, અમે રાજ્ય સરકારને આ સંદર્ભે પસાર કરેલા તેના ઠરાવોની સમયાંતરે સમીક્ષા કરવા અને તે મુજબ સુધારા કરવા સૂચન કરીએ છીએ. જો સરકાર પોતે તેની પોતાની નીતિનું પાલન ન કરી શકતી હોય અથવા તેનું ચુસ્તપણે પાલન ન કરી શકતી હોય, તો પછી આવી નીતિને અસ્તિત્વમાં રાખવાનું અર્થહીન છે જેનાથી જાહેર હિતની પ્રકૃતિમાં દાવાઓ ઊભા થાય છે. હવે સમય આવી ગયો છે કે રાજ્ય સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લે અને આ મુદ્દાને બચાવવા યોગ્ય નીતિ અપનાવે. એક અને બધાનું હિત.
પી.આઈ.એલ. ૬૧/૨૦૧૨ માં નામદાર હાઈકોર્ટ દ્વારા ઉક્ત પી.આઈ.એલ. ૧૫૫/૨૦૧૧ માં કરેલ નિરીક્ષણ (ઓબ્ઝરવેશન) પ્રમાણે ગૌચર જમીનની ફાળવણી માટે નીચે પ્રમાણેનો અભિપ્રાય આપેલ છે.
અમારું માનવું છે કે જાહેર હેતુ માટે 'ગૌચર' જમીન સિવાયની યોગ્ય જમીન ફાળવવામાં ઘણી વખત સરકારને મુશ્કેલીઓ આવી શકે છે. આવા સંજોગોમાં, અન્ય જાહેર હેતુને પણ અવગણવાની અથવા ટાળવાની મંજૂરી આપી શકાતી નથી....
અમે રાજ્ય સરકારને સૂચન કરીએ છીએ કે તે સમયાંતરે આ અંગે પસાર થયેલા તેના ઠરાવોની સમીક્ષા કરે અને તે મુજબ તેમાં સુધારો કરે....
હવે સમય આવી ગયો છે કે રાજ્ય સરકાર આ મુદ્દાને ગંભીરતાથી લે અને એવી નીતિ ઘડે જે કાર્યક્ષમ, વ્યવહારુ અને સૌના હિતનું રક્ષણ કરે....
ઉપર્યુક્ત જોગવાઈઓનાપરિપ્રેક્ષ્યમાં ગૌચર જાળવણી અને વિકાસ સંદર્ભમાં રાજ્ય સરકાર ચિંતિત હોઈ સંકલિત ગૌચર નીતિના ઘડતર, આયોજન અને અમલ ને લગતી બાબત આખરી કરવા પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવે છે..








Post a Comment