FIX PAY - TA DA - 05-04-2025

રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક પામેલ કર્મચારીઓની સેવાની શરતોમાં સુધારો કરવા બાબત.


વંચાણે લીધા:-

(૧) નાણાં વિભાગનો તા.૧૬-૦૨-૨૦૦૬ નો ઠરાવ ક્રમાંકઃ-ખરચ/૨૦૦૨/૫૭/ઝ.૧

(૨) નાણાં વિભાગનો તા.૨૦/૧૦/૨૦૧૫નો ઠરાવ ક્રમાંકઃ-ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૨)/ઝ.૧

(૩) નાણાં વિભાગનો તા.૨૮/૦૩/૨૦૧૬નો ઠરાવ ક્રમાંકઃ-ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૩)/ઝ.૧

આમુખ:-

સંદર્ભ ક્રમાંક-(૧) સામેના નાણા વિભાગના તા.૧૬/૦૨/૨૦૦૬ના ઠરાવથી રાજ્ય સરકારની કચેરીઓમાં વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગોમાં રાજ્ય સરકારની કરકસરની નીતિના ભાગરૂપે ૦૫ (પાંચ) વર્ષ માટે ફિક્સ પગારથી સીધી ભરતીથી નિમણૂક આપવાની નીતિ અમલમાં મૂકવામાં આવેલ છે. તેમજ આ ઠરાવ સંદર્ભમાં નાણા વિભાગના સંદર્ભ ક્રમાંક-(૨) અને (૩) સામેના ઠરાવથી કરાર આધારિત ફિક્સ પગારથી નિમણૂક પામેલ કર્મચારીઓની સેવાઓની શરતોમાં જરૂરી સુધારા કરવામાં આવેલ છે.

સંદર્ભ ક્રમાંક-(૨) સામેના નાણા વિભાગના તા.૨૦/૧૦/૨૦૧૫ના ઠરાવની જોગવાઇ ક્રમાંક-(૩) થી દૈનિક ભથ્થાં અંગે નીચે મુજબ જોગવાઇ કરવામાં આવેલ છે:

ક્રમ

1

રોકાણનો સમયગાળો

નિયમિત કર્મચારીને મળતાં ભથ્થાં મુજબ સૂચિત વધારો

૬ કલાકથી વધુ પરંતુ ૧૨| કલાકથી ઓછું રોકાણ

રૂ.૧૨૦

૧૨ કલાકથી વધુ રોકાણ

3.240

મુસાફરી ભથ્થું

નિયમિત કર્મચારીને મળતાં રાજ્ય એસ.ટી.નિગમની બસનું ભાડું/રેલ્વે ભાડું મળવાપાત્ર થશે.

સંદર્ભ ક્રમાંક-(૩)ના સામેના નાણા વિભાગના તા.૨૮/૦૩/૨૦૧૬ના ઠરાવની બોલીઓ અને શરતોની શરત ક્રમાંક-(૩)થી નીચે મુજબની જોગવાઇ કરવામાં આવેલ છે.

66 શ્રી/શ્રીમતી/કુ. .......ને કરારીય સમયગાળા દરમિયાન સરકારી કામકાજ અર્થે મુસાફરી કરવાના પ્રસ્ગો ઉપસ્થિત થાય ત્યારે તેમને નાણા વિભાગના તા.૨૦/૧૦/૨૦૧૫ના ઠરાવ ક્રમાંક: ખરચ/૨૦૦૨/૫૭/(પાર્ટ-૨)/ઝ-૧ની જોગવાઇ મુજબ મુસાફરી ભથ્થું તથા દૈનિક ભથ્થું મળવાપાત્ર રહેશે.”




Post a Comment

Previous Post Next Post