નળકાંઠો પંથક

 

ભાલ, સૌરાષ્ટ્ર અને વઢિયારના સીમાડાને જોડતો વચલો વિસ્તાર નળકાંઠો કહેવાય છે. નળના કાંઠે પઢારોની વસ્તી વિશેષ જોવા મળે છે. તેઓ અહીંની મૂળ પ્રજા છે. એમના મંજિરારાસમાં સાગર સંસ્કૃતિની ઝલક જોવા મળે છે.

નળ સરોવર આપણા મોટા સરોવરોમાંનું એક છે. ગુજરાત સર્વ સંગ્રહ અનુસાર એ ૫૦ ચોરસ માઈલમાં પથરાયેલું છે. ચોમાસામાં ચાર-પાંચ ફૂટ પાણી ભરાય છે. તેમાં બરુ નામનું ઘાસ ઉગે છે. એમાં બીડ નામનું કાળું કંદ અને થેક થાય છે. આજે તો નળસરોવર પ્રવાસધામ તરીકે વિકાસ પામ્યું છે. ચોમાસામાં નળસરોવર ભરાઈ જાય પછી શિયાળો આવતા છેક રશિયા અને સાઇબિરિયાથી અસંખ્ય પક્ષીઓ અને સરસ અહીં ઉતરી આવે છે. અને આ પ્રદેશ અત્યંત રળિયામણો બની જાય છે. નાના હોડકાઓમાં બેસીને સરોવરમાં સહેલગાહ કરી શકાય છે.

ઉનાળે નાળ સરોવરનું પાણી સુકાઈ જાય છે. કલ દુકાળે પઢારો સરોવરની જમીનમાંથી બીડ કાઢી, સૂકવે એના રોટલા બનાવીને ખાય છે. ચારોલાની તાણ પડે ત્યારે ખેડૂતો નળનું બીડ લાવી ધોકાવી બાફીને ઢોરને ખવડાવે છે. ટેવ ના હોય તો બીડના રોટલા ખાનારને ઝાડા ને મરડો થઇ જાય છે.

સૌરાષ્ટ્રમાં પથરાયેલાં પ્રાચીન પરગણાં અને પંથકો ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ, લોકજીવન અને લોકસંસ્કૃતિનો સુપેરે પરિચય કરાવે છે.

Post a Comment

Previous Post Next Post