સંસ્થાઓ અને તેમના પ્રકાશનો

શૈક્ષણિક સંસ્થાઓ અને તેમના મુખપત્રો (સામાયિકો)

ગુજરાતની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને મંડળો દ્વારા જે સામાયિકો બહાર પાડવામાં આવે છે તે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે.


૧. મુખ્ય શૈક્ષણિક સંસ્થાઓ અને પ્રકાશનો

  • GCERT (ગાંધીનગર): જીવન શિક્ષણ (આ સામાયિકનું જૂનું નામ 'શાળાપત્ર' હતું).

  • ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ: બાલસૃષ્ટિ (બાળકો માટે) અને પ્રત્યાયન.

  • સમગ્ર શિક્ષા અભિયાન (SSA): જ્ઞાનશક્તિ.

  • ચિલ્ડ્રન યુનિવર્સિટી (ગાંધીનગર): બાલ વિશ્વ.

  • ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU): જ્ઞાનસેતુ.

  • માહિતી નિયામક કચેરી (ગુજરાત સરકાર): ગુજરાત પાક્ષિક.

  • IGNOU (નવી દિલ્હી): જ્ઞાનવાણી (રેડિયો ચેનલ) અને જ્ઞાનદર્શન (ટીવી ચેનલ).


૨. શિક્ષક સંઘો અને મંડળોના મુખપત્રો

  • ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ: શિક્ષક જ્યોત.

  • ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ: શ્રી સારસ્વત.

  • ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ: માધ્યમિક સંદેશ.

  • ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ: હાયર મેસેજ (Higher Message).

  • શાળા સંચાલક મંડળ: કુલધર્મ.

  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ: માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ.


૩. સાહિત્યિક સંસ્થાઓના સામાયિકો

  • ગુજરાત સાહિત્ય પરિષદ: પરબ.

  • ગુજરાત સાહિત્ય અકાદમી: શબ્દસૃષ્ટિ.

  • ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ: વિશ્વવિહાર.

  • ભારતીય વિદ્યા ભવન: નવનીત સમર્પણ.

  • ગુજરાત રાજ્ય સ્કાઉટ એકેડમી: બાલવીર.


યાદ રાખવાની ખાસ ટિપ્સ (Memory Tricks):

૧. પ્રાથમિક શિક્ષક: બાળકના જીવનમાં જ્ઞાનની જ્યોત પ્રગટાવે છે, એટલે શિક્ષક જ્યોત.

૨. પાઠ્યપુસ્તક મંડળ: બાળકો માટે પુસ્તકો જ તેમની આખી સૃષ્ટિ છે, એટલે બાલસૃષ્ટિ.

૩. આચાર્ય સંઘ: આચાર્ય એ વિદ્યાના ઉપાસક એટલે કે સારસ્વત ગણાય, એટલે શ્રી સારસ્વત.

૪. સ્કાઉટ એકેડમી: સ્કાઉટમાં બાળકોને વીર અને સાહસિક બનાવવામાં આવે છે, એટલે બાલવીર.


Post a Comment

Previous Post Next Post